• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • One Nation One Election Bill નો લોકસભામાં સ્‍વીકાર, બિલનાં પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ મત પડયા હતા...

One Nation One Election Bill નો લોકસભામાં સ્‍વીકાર, બિલનાં પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ મત પડયા હતા...

03:40 PM December 17, 2024 Gujju News Channel Share on WhatsApp

સરકાર પ્રથમ કસોટીમાં પાસ : કાનુન મંત્રી અર્જુન રામ મેઘવાલે રજુ કરેલા બિલને બહુમતીથી પાસ કરતી લોકસભા : બિલનાં પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ મત પડયા : બિલ હવે જેપીસીને મોકલાયું : બિલ રજુ કરતી વેળાએ હોબાળો : બેવાર વોટીંગ કરવુ પડયું : પહેલીવાર ઇલેકટ્રોનિક મતદાન



One Nation One Election Bill: સંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત 12 ડિસેમ્બરના રોજ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઈલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ માટે મતદાન થયું હતું, જેમાં બિલની તરફેણમાં ૨૬૯ અને ૧૯૮ સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો. મતદાન બાદ સંસદની કાર્યવાહી ૩ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. બિલ જેપીસીને  મોકલવામાં આવ્‍યું છે. આમ એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં સ્‍વીકારવામાં આવ્‍યું છે. આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે ઉભેલા જોવા મળે છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ તેને બિનજરૂરી અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું બિલ ગણાવી રહ્યું છે.

► શાસક પક્ષ અને વિપક્ષ શું દલીલો આપી રહ્યા છે?

વન નેશન વન ઈલેક્શનની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરવામાં આવી રહી છે. સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે તે બંધારણની વિરુદ્ધ છે. સમર્થકો કહી રહ્યા છે કે મતદાન વધશે, જ્યારે વિપક્ષો કહી રહ્યા છે કે જવાબદારી ઓછી થશે. સમર્થકોની દલીલ છે કે આચારસંહિતા એકવાર લાગુ થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 5 વર્ષમાં એક વખત ચૂંટણી બાદ સરકાર નિરંકુશ બની જશે. જ્યારે સમર્થક પક્ષો કહે છે કે આનાથી વિકાસ કાર્ય પર કોઈ અસર નહીં થાય, જ્યારે વિરોધીઓ માને છે કે આ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રાદેશિક મુદ્દાઓને અવગણશે.

► રામનાથ કોવિંદ સમિતિની ભલામણ શું છે ?

જાણો શું છે આ બિલ પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણ. તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવો જોઈએ. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જોઈએ. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજો. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થવી જોઈએ. ચૂંટણી પંચે ચૂંટણી માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ.

► શું છે એક દેશ, એક ચૂંટણી બિલ? 

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News  - One Nation One Election Bill introduced in Lok Sabha government ready to send it to JPC | One Nation One Election Bill



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us